નીતિવચનો ૧૯:૧-૨૯

  • ઊંડી સમજણ ગુસ્સો શાંત પાડે છે (૧૧)

  • ઝઘડાળુ પત્ની સતત ટપકતી છત જેવી છે (૧૩)

  • સમજુ પત્ની યહોવા પાસેથી મળે છે (૧૪)

  • સુધરવાની આશા હોય ત્યાં સુધી દીકરાને શિક્ષણ આપ (૧૮)

  • બુદ્ધિમાન માણસ સલાહ સાંભળે છે (૨૦)

૧૯  જૂઠું બોલનાર મૂર્ખ કરતાં,+પ્રમાણિકતાથી* ચાલનાર ગરીબ વધારે સારો.+  ૨  માણસ અજ્ઞાન રહે એ સારું નથી+અને ઉતાવળે પગલાં ભરનાર પાપમાં પડે છે.  ૩  માણસની મૂર્ખાઈ તેને ખોટા માર્ગે દોરી જાય છેઅને તેનું હૃદય યહોવા વિરુદ્ધ રોષે ચઢે છે.  ૪  ધનદોલત ઘણા મિત્રો ખેંચી લાવે છે,પણ ગરીબનો એકનો એક મિત્ર પણ તેને છોડીને જતો રહે છે.+  ૫  જૂઠા સાક્ષીને સજા થયા વગર રહેશે નહિ+અને વાતે વાતે જૂઠું બોલનાર છટકી શકશે નહિ.+  ૬  બધા લોકો મોટા* માણસોની કૃપા મેળવવા માંગે છેઅને સૌ કોઈ ભેટ આપનારનો મિત્ર બનવા માંગે છે.  ૭  જો ગરીબને તેના બધા ભાઈઓ ધિક્કારતા હોય,+તો શું તેના મિત્રો પણ તેને નહિ ધિક્કારે?+ તે આજીજી કરતો કરતો તેઓની પાછળ ભાગે છે, પણ કોઈ તેનું સાંભળતું નથી.  ૮  જે બુદ્ધિ* મેળવે છે, તેને પોતાનો જીવ વહાલો હોય છે,+જે સમજણને અનમોલ ગણે છે, તેને સફળતા મળે છે.*+  ૯  જૂઠા સાક્ષીને સજા થયા વગર રહેશે નહિઅને વાતે વાતે જૂઠું બોલનારનો નાશ થશે.+ ૧૦  જો મૂર્ખને એશઆરામમાં રહેવું શોભતું ન હોય,તો શાસકો પર ગુલામ રાજ કરે એ કઈ રીતે શોભે?+ ૧૧  માણસની ઊંડી સમજણ તેનો ગુસ્સો શાંત પાડે છે+ અને અપરાધ નજરઅંદાજ* કરવામાં તેનો મહિમા છે.+ ૧૨  રાજાનો ક્રોધ સિંહની ગર્જના જેવો છે,+પણ તેની રહેમનજર ઘાસ પરના ઝાકળ જેવી છે. ૧૩  મૂર્ખ દીકરો પિતા પર મુસીબત લાવે છે+અને ઝઘડાળુ* પત્ની સતત ટપકતી છત જેવી છે.+ ૧૪  ઘર અને સંપત્તિનો વારસો પિતા પાસેથી મળે છે,પણ સમજુ પત્ની યહોવા પાસેથી મળે છે.+ ૧૫  આળસ ભરઊંઘમાં નાખે છે અને સુસ્ત માણસ ભૂખે મરે છે.+ ૧૬  ઈશ્વરની આજ્ઞાઓ પાળનારનો જીવ સલામત રહે છે,+પણ બેદરકાર* માણસ જીવ ગુમાવે છે.+ ૧૭  ગરીબ પર દયા રાખનાર યહોવાને ઉછીનું આપે છે,+તે એવા માણસને તેના કામનું ઇનામ આપશે.*+ ૧૮  સુધરવાની આશા હોય ત્યાં સુધી તારા દીકરાને શિક્ષણ* આપ,+તેના મોત માટે તું જવાબદાર ન બન.*+ ૧૯  ગરમ મિજાજના માણસે દંડ ભરવો પડશે,જો તું તેને એક વાર બચાવીશ, તો વારંવાર બચાવવો પડશે.+ ૨૦  સલાહ સાંભળ અને શિસ્ત* સ્વીકાર,+એટલે ભાવિમાં તું બુદ્ધિમાન બનીશ.+ ૨૧  માણસ પોતાના દિલમાં ઘણી યોજનાઓ બનાવે છે,પણ હેતુ* તો યહોવાનો જ પૂરો થાય છે.+ ૨૨  બીજાઓને સાચો પ્રેમ* બતાવીને માણસ સારો બને છે.+ જૂઠું બોલનાર કરતાં ગરીબ વધારે સારો લાગે છે. ૨૩  યહોવાનો ડર જીવન તરફ લઈ જાય છે,+એવો ડર રાખનાર માણસ પર કોઈ આફત નહિ આવે, તે નિરાંતે રહેશે.+ ૨૪  આળસુ માણસ મિજબાનીના થાળમાં હાથ તો નાખે છે,પણ મોંમાં કોળિયો મૂકવાની જરાય તસ્દી લેતો નથી.+ ૨૫  મશ્કરી કરનારને શિક્ષા કર,+ જેથી એ જોઈને ભોળો* માણસ હોશિયાર બને+ અને સમજુને ઠપકો આપ, જેથી તેના જ્ઞાનમાં વધારો થાય.+ ૨૬  પિતા સાથે ખરાબ વર્તન કરનાર અને માતાને કાઢી મૂકનાર દીકરોશરમ અને અપમાન લાવે છે.+ ૨૭  મારા દીકરા, જો તું શિખામણ* સાંભળવાનું છોડી દઈશ,તો તું જ્ઞાનના માર્ગથી ભટકી જઈશ. ૨૮  નકામો સાક્ષી ન્યાયની મજાક ઉડાવે છે+અને દુષ્ટો મજેદાર ભોજનની જેમ દુષ્ટતાની મજા માણે છે.+ ૨૯  મશ્કરી કરનાર માટે સજા+અને મૂર્ખની પીઠ માટે ફટકા તૈયાર છે.+

ફૂટનોટ

અથવા, “ઉદાર.”
મૂળ, “હૃદય.”
મૂળ, “તેનું ભલું થાય છે.”
અથવા, “દરગુજર; માફ.”
અથવા, “વાંક કાઢતી; ટોકટોક કરતી.”
અથવા, “પોતાના માર્ગો પર ધ્યાન ન આપનાર.”
અથવા, “બદલો વાળી આપશે.”
અથવા, “શિસ્ત.” શબ્દસૂચિમાં “શિસ્ત” જુઓ.
અથવા, “તેના મોતની ઇચ્છા ન રાખ.”
અથવા, “ઇચ્છા; સલાહ.”
અથવા, “અતૂટ પ્રેમ.”
અથવા, “બિનઅનુભવી.”
અથવા, “શિસ્ત.” શબ્દસૂચિમાં “શિસ્ત” જુઓ.